ઉત્સવ પ્રિય વડોદરા શહેર ગણેશ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી રહ્યું છે આજે દોઢ દિવસના ગણપતિજીનું વિસર્જન થયું હતું આવનાર દિવસોમાં વિસર્જન ને ધ્યાનમાં રાખી પાલિકા તંત્ર દ્વારા શહેરમાં દસ કુત્રિમ તળાવ અને બે કુદરતી તળાવમાં ગણેશ વિસર્જન માટે આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પૂર્વ ઝોનમાં ત્રણ તળાવ પશ્ચિમ ઝોનમાં ત્રણ તળાવ ઉત્તર ઝોનમાં બે તળાવ અને દક્ષિણ ઝોનમાં ચાર તળાવ વિસર્જન માટે ઉપયોગ કરાશે આ તળાવમાં ખોડીયાર નગર જીઓ પેટ્રોલ પંપ સામે , લેપ્રસી ગ્રાઉન્ડ , કિશનવાડી યુપીએચસી વાળા પ્લોટમાં , ભાયલી પ્રિયા સિનેમા બાજુમાં , ગોરવા દશામાં તળાવ , હરણી સમા કુત્રિમ તળાવ , બિલ કુત્રિમ તળાવ , નવલખી કુત્રિમ તળાવ , એસએસવી -2 ની સામે સોમાતળાવ રિંગ રોડ , માંજલપુર સ્મશાન પાસેના પ્લોટમાં તેમજ તરસાલી સર્કલ દિવાળીપુરાના મકાનો પાસે પાંચ ફૂટની મૂર્તિ માટે તેમજ મકરપુરા ગામ પાસે પાંચ ફૂટની મૂર્તિ માટે વિસર્જન નું આયોજન કરવામાં આવ્યું છે
જે સંદર્ભે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે બધા તળાવ ઉપર ભેગા થઈને 103 તરાપા 180 જેટલા બોયા , તરવૈયા અને અન્ય મેન પાવર મળી 120 લોકો , 12 જેટલી એમ્બ્યુલન્સ 12 અન્ય વાહનો 53 જેટલી ક્રેન પોલીસ વિભાગ તથા તંત્ર દ્વારા આયોજન કરાયું છે તમામ તળાવને ફરતે બેરીકેટિંગ ,ફોકસ લાઈટ , તરાપા જેટી , નિમલ્યમ કળશ ,ફાયરની ટીમ હેલ્થની ટીમ તેમજ મંચની વ્યવસ્થા રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ સંકલન થઈ રહ્યું છે તમામ વ્યવસ્થાઓ નિશુલ્ક છે તેથી કોઈને કોઈ ચુકવણું કરવુ નહીં તેમ જણાવ્યું હતું
