વડોદરા શહેરના વાસણાભાયલી રોડ સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર મિશન – ધરમપુર, વડોદરા આધ્યાત્મિક કેન્દ્રમાં આજે સર્વાંગી વિકાસ અને સેવા ભાવનાને સમર્પિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નાગરિકોએ આ આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.કાર્યક્રમમાં યોગા સેશન અને સાઉન્ડબાથ થેરાપીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માનસિક અને શારીરિક આરોગ્યને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. ભાગ લેનારાઓએ આ અનોખા અનુભવની વિશેષ પ્રશંસા કરી.આ ઉપરાંત તાલીમપ્રાપ્ત વ્યાવસાયિકોના માર્ગદર્શન હેઠળ બે સર્જનાત્મક વર્કશોપ યોજાયા — અગરબત્તી બનાવવાની વર્કશોપ અને ટોટેબેગ પેઈન્ટિંગ વર્કશોપ. બાળકો, મહિલાઓ અને યુવાનોને તેમની કલાત્મકતા વ્યક્ત કરવાની અનોખી તક મળી.સેવા ભાવના અંતર્ગત સંસ્થાએ જરૂરિયાતમંદ પરિવારોને ધાબડા (બ્લૅન્કેટ) વિતરણ પણ કર્યું, જેનાથી વધતી ઠંડીમાં ગરીબોને રાહત મળી શકે સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે મિશન તરફથી તમામ સહભાગીઓ તથા સેવાભાવીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
