હાલ શિક્ષકોને બી.એલ.ઓની કામગીરી સોંપવામાં આવી છે તેને લઇ એકતા નગર ખાતે એન એસ યુ આઈ ના અગ્રણીઓ કાર્યકરો ધરણા પર બેઠા છે. એનએસયુઆઈ ના જિલ્લા પ્રમુખ તેજસભાઈ તડવી નું કહેવું છે કે શિક્ષકોને બીએલઓની જે કામગીરી સોંપવામાં આવી છે તેને લઈને શાળામાં બાળકોનુ શિક્ષણ બગડી રહ્યું છે તથા બાળકોને ભણાવવાને બદલે શિક્ષકોને અન્ય કામગીરી સોંપતા બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે . e.c. બાળકોના ભવિષ્યની ચિંતા કરે, બાળકોના ભવિષ્યનું જોખમ કોણ લેશે? વગેરે જેવા સૂત્રોચારના બેનરો સાથે ધરણા પર બેઠા હતા.
