વિશ્વ પાઈલ્સ દિવસની નિમિત્તે વિના મૂલ્ય નિદાન તથા સર્જિકલ કેમ્પ 23 નવેમ્બર, 2025 (રવિવાર)ના રોજ સફળતાપૂર્વક યોજાયો હતો.
આ કેમ્પ નૈવેદ્ય ફાઉન્ડેશન અને સમૃદ્ધા સુરભી ઇન્ડિયા પ્રોડ્યુસર કંપની લિમિટેડના સહયોગથી પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ આયુર્વેદ તથા ખેમદાસ હોસ્પિટલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
હરસ, મસા, ભગંદર તથા ફિસર જેવા રોગોની વિના મૂલ્ય સારવાર માટે સવારના 10 થી બપોરે 1 વાગ્યા દરમિયાન સેન્ટ રૂઝવેલ્ટ સ્કૂલ, શિરડીનગર પાસે હરણી–વારસીયા રીંગ રોડ, વડોદરા ખાતે કેમ્પ યોજાયો હતો.
કાર્યક્રમમાં નૈવેદ્ય ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી આરતી કદમ, સમૃદ્ધ સુરભી ઇન્ડિયા પ્રોડ્યુસર કંપની લિમિટેડની મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શ્વેતા ભાવસાર, ખેમદાસ હોસ્પિટલના નામાંકિત ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.
