ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગઈકાલે ગણેશ ચતુર્થીના પ્રંસગે વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીની સ્થાપના શ્રદ્ધાળુઓએ પોતાના ઘરોમાં તેમજ સાર્વજનિક મંડળોમાં કરી હતી.લોકો ગણેશ ઉત્સવની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરી રહ્યા છે પરંપરા પોતાના સંકલ્પ મુજબ, લોકો દોઢ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ દસ દિવસ સુધી ગણપતિજીની સ્થાપના કરે છે અને નિર્ધારિત સમય પૂર્ણ થયા બાદ વિસર્જન કરે છે. આજે દોઢ દિવસ પૂર્ણ થતા, જેમણે પોતાના નિવાસે દોઢ દિવસના ગણપતિજી બેસાડ્યા હતા, તેઓએ આજે વિસર્જન કર્યું હતું કેટલાક શહેરીજનોએ પોતાના ઘરે પણ વિસર્જન કર્યું હતું તો કેટલાક શહેરીજનો એ પાલિકા દ્વારા નિર્માણ કરાયેલ કુત્રિમ તળાવમાં વિસર્જન કર્યું હતું નવલખી મેદાન ખાતે આવેલા કૃત્રિમ તળાવમા પણ વિસર્જન કરવામાં આવ્યું હતું લોકોએ કુત્રિમ તળાવ સ્થળ પર આવ્યા બાદ પૂજા-આરતી કર્યા બાદ વિસર્જન કર્યું. હતુ આ પ્રસંગે “ગણપતિ બાપા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકરીયા”ના નાદ સાથે શ્રદ્ધાપૂર્વક દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કરાયું હતું વિસર્જનને લઈને તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા અને સુરક્ષા સુવિધાઓ રાખવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુઓ સરળ અને સલામત રીતે વિસર્જન કરી શક્યાં હતા .
