Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ પાણીનું ટેન્કર મંગાવીને હત્યાના પુરાવાનો નાશ કર્યો ?
  • ભારત

સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ પાણીનું ટેન્કર મંગાવીને હત્યાના પુરાવાનો નાશ કર્યો ?

Lokmat News Vadodara August 21, 2025 1 min read
08-02-2025 (1)

અમદાવાદ:

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટના બાદ 20 ઓગસ્ટે સ્કૂલમાં તોડફોડ અને હોબાળો થયો હતો. જ્યારે આજે, 21 ઓગસ્ટે, NSUIએ સ્કૂલને તાળાબંધ કરવાની જાહેરાત કરી છે, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે મણિનગર અને આસપાસના વિસ્તારોમાં બંધનું એલાન કર્યું છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

આ ઘટના બાદ સેવન્થ ડે સ્કૂલની આસપાસ અને 500 મીટરના વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસ ટીમો અલગ-અલગ શાળાઓમાં ચેકિંગ માટે પહોંચી છે, જ્યારે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર (DEO)ની ટીમે પણ સ્કૂલમાં તપાસ શરૂ કરી છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે બાળક ઇજાગ્રસ્ત હોવા છતાં સ્કૂલે એમ્બ્યુલન્સ બોલાવી ન હતી અને પાણીના ટેન્કર વડે લોહીના ડાઘ ધોવાઈ ગયા, જેનાથી પુરાવા નષ્ટ થયા હોવાનો દાવો કરાયો છે.

સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના મામલે પોલીસે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી છે. આ ઉપરાંત, હત્યામાં મદદ કરનાર શંકાસ્પદ અન્ય એક વિદ્યાર્થીને પણ કસ્ટડીમાં લેવાયો છે. આ મામલે NSUIએ આજે સ્કૂલને તાળાબંધી કરવાની જાહેરાત કરી છે, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારની શાળાઓ અને દુકાનો બંધ રાખવા બંધનું આહ્વાન કર્યું છે. આ મામલે મૃતક વિદ્યાર્થીના પરિવાર અને સિંધી સમાજે માર્કેટ સંપૂર્ણ બંધ રાખ્યું, જ્યારે કેટલીક દુકાનો ખુલ્લી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારની લગભગ 200 શાળાઓએ બંધમાં ભાગ લીધો છે. સિંધી સમાજ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા દુકાનો બંધ કરાવવાના પ્રયાસો ચાલુ છે. સિંધી માર્કેટમાં સવારથી એક પણ દુકાન ખુલી નથી, ફક્ત ફળ અને ફૂલોના વેપારીઓ જ ધંધો કરી રહ્યા છે. જ્યારે સેવન્થ ડે સ્કૂલ જ્યાં સુધી મામલો થાળે ન પડે ત્યા સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સેવન્થ ડે સ્કૂલની ઘટનાએ સ્થાનિક સમાજમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. સિંધી સમાજ અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પોલીસ અને DEOની તપાસ ચાલુ છે, અને સ્કૂલની બેદરકારીના આરોપોની પણ તપાસ થઈ રહી છે. આ ઘટનાએ શાળાઓમાં સુરક્ષા અને વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, અને વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે પોલીસ સતત દેખરેખ રાખી રહી છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 29

Post navigation

Previous: ગુજરાતને પાંચ વરસાદી સિસ્ટમ ધમરોળશે, જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ
Next: અંકલેશ્વર-ભરૂચ હાઈવે પર બમ્પરનો ત્રાસ: અકસ્માતોમાં પાંચ ઘાયલ, વાહનચાલકોમાં રોષ

Related News

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.