- પોલીસ એ પણ તબીબને સમજાવવા છતાં તબીબે પોલીસે પણ ઘસીને ના પાડી દીધી
- મેં દર્દીને 4 વાગ્યાં પછી તપાસી તેવો જવાબ તબીબે પોલીસને આપ્યો
- પોલીસે તાત્કાલિક એમ્બ્યુલસની વ્યવસ્થા કરી ઇમર્જન્સી દર્દીને સારવાર માટે રાજપીપલા મોકલ્યા
- નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ સામે લોકોમાં રોષ
- પ્રજાના ટેક્ષના પૈસાનો હજારો રૂપિયાનો પગાર લેતા તબીબની દબંગ ગિરી બહાર આવી
નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સમગ્ર તાલુકામાંથી લોકો સારવાર માટે આવે છે જયારે ફરજ પર ના મહિલા તબીબે બપોરના 12 વાગ્યાં સુધી ઓ.પી.ડી ચલાવી હતી નસવાડી ટાઉનના એક દર્દીને ખેંચ આવતા દર્દીઓને તેઓના પરિવારજનો દ્વારા નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા જયારે ઇમર્જન્સી વોર્ડમાં અન્ય દર્દીઓ પણ હતા એક નાનું બાળક પણ સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબની રાહ જોતું હતું જયારે બપોરના સમયે ઈમજન્સી વોર્ડના હાજર કર્મચારીએ ઈમજન્સી દર્દીની જાણ કોર્ટ્સમાં રહેતા મહિલા તબીબને જાણ કરવા છતાંય કલાકો સુધી તબીબ કોર્ટ્સમાંથી બહાર ના આવતા ખેંચ આવેલા દર્દી દર્દથી તરસતા રહ્યા જીવન મરણ વચ્ચે જોલા ખાતા રહ્યા પરિવારજનો તબીબને બોલવા માટે કોર્ટ્સમાં હાજીજી કરી પરંતુ માનવતા ભૂલેલા ડોક્ટર પરિવારજનોની આજીજી પણ ના સાંભળી આખરે પરિવારજનોએ પોલીસને જાણ કરી પોલીસ તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચીને દર્દથી ગણસ્થા દર્દીઓની મુલાકાત લઇ પોલીસ તબીબને સમજાવવા માટે તબીબના કોર્ટ્સ પહોંચી પરંતુ પોલીસને પણ આ તબીબે નહિ આવું ચાર વાગ્યાં પછી જ સારવાર કરીશ તેવા જવાબો આપી કોર્ટ્સનો દરવાજો બંધ કરી અને ઘરમાં તબીબ જતા રહેતા પોલીસ પણ મુંજવણમાં મુકાઈ ગઈ હતી પરંતુ પોલીસ માનવતાના ધોરણે દર્દથી ગણસ્થા દર્દીઓને તાતકાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલસને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ 1 કલાકનો સમય લાગે તેવી સ્થિતિ હોવાથી સરકારી દવાખાના ડ્રાયવરને પોલીસે તાતકાલિક બોલાવી અને દર્દીઓને રાજપીપલા ખાતે સારવાર માટે મોકલ્યા હતા સમગ્ર ઘટનાને લઇને દર્દીઓના પરિવારજનોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો જયારે નસવાડી તાલુકો આદિવાસી તાલુકો છે અને ગરીબીનું પ્રમાણ વધારે છે ગરીબ લોકો ખાનગી હોસ્પિટલ માં જઈ નહિ શકતા જેનાથી સરકારી દવાખાનાઓમાં મફત સારવાર મળે તે માટે જાય છે પરંતુ સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબો પોતાની મરજી મુજબ સારવાર કરતા હોય છે અને અધિકારીઓમાં પણ આવા તબીબો સામે પગલાં ભરતા નથી હાલ તો સરકારની વાહવાહ કરતા નેતાઓ આ વરવી વાસ્તવિકતા જોવે અને ગરીબ લોકોને પડતી મુશ્કેલી માટે સરકારમાં રજુઆત કરે તે જરૂરી બન્યું છે હાલ તો નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બનેલી આ ઘટનાને લઈને આરોગ્ય વિભાગની બેદરકારી બહાર આવી છે
ચિરાગ ગુપ્તા નસવાડી
