વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી જુનિગઢી ભદ્ર કચેરી પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં ભારે અફરાતફડી મચી ગઈ હતી. આગ એટલી ઝડપે ફેલાઈ કે ગોડાઉનમાં મુકાયેલો તમામ ભંગારનો સામાન ખાખ થઈ ગયો હતો.આગના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની અસર નજીકના ગોડાઉન સુધી પહોંચતા આગ વધુ વિકરાળ બનવાની ભીતિ ઊભી થઈ હતી.ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં સદનસીબે કોઈ ઇજાગ્રસ્ત થયું નથી, પરંતુ ગોડાઉનમાં રહેલો સમગ્ર સામાન નષ્ટ થયો છે.આ બનાવ પછી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા અને આવા ગોડાઉનોમાં આગ સલામતીના નિયમો અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.
